મનુષ્ય જીવન-જાણવા લાયક પ્રશ્નોત્તરી - Chetan Patel
 

મનુષ્ય જીવન-જાણવા લાયક પ્રશ્નોત્તરી

a

મનુષ્ય જીવન-જાણવા લાયક પ્રશ્નોત્તરી

મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી

પ્રશ્ન -૧ હું કોણ છુ ?
જવાબ – તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે.
પ્રશ્ન -૨ જીવન નો ઉદ્દેશ શુ છે ?
જવાબ – જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે.
પ્રશ્ન -૩ જન્મ નું કારણ શું છે?
જવાબ – અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે.
પ્રશ્ન – ૪ જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ?
જવાબ – જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે.
પ્રશ્ન -૫ વાસના અને જન્મ નો શું સંબંધ છે ?
જવાબ – જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ.
પ્રશ્ન -૬ સંસાર માં દુઃખ કેમ છે ?
જવાબ – લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે.
પ્રશ્ન -૭ ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ?
જવાબ – ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી.
પ્રશ્ન – ૮ શું ઈશ્વર છે ?
તે કોણ છે ?
તેનું સ્વરૂપ શુ છે ?
તે સ્ત્રી છે કે પુરુષ છે ?
જવાબ – કારણ વિના કાર્ય થતું નથી. આ સંસાર એ જ કારણ ના અસ્તિત્વ નું પ્રમાણ છે. તમે છો એટલે એ પણ છે. એ જ મહાન કારણ ને અધ્યાત્મ માં ઈશ્વર કહેવામાં આવ્યા છે. એ ના તો સ્ત્રી છે ના પુરુષ. એમનું સ્વરૂપ સત્ત ચિત્ત આનંદ છે, તે અનાકાર જાતે જ દરેક રૂપો માં સ્વયં ને વ્યક્ત કરે છે.
પ્રશ્ન -૯ તે અનાકાર શું કરે છે ?
જવાબ – તે અનાકાર ઇશ્વર સંસાર ની રચના, પાલન અને સંહાર કરે છે.
પ્રશ્ન – ૧૦ જો ઈશ્વરે સંસાર ની રચના કરી તો ઈશ્વર ની રચના કોને કરી ?
જવાબ – ઇશ્વર અજન્મા, અમૃત અને અકારણ છે.
પ્રશ્ન – ૧૧ ભાગ્ય શું છે ?
જવાબ – દરેક ક્રિયા, દરેક કર્મ નું એક પરિણામ છે. પરિણામ સારું પણ હોઈ શકે છે, પરિણામ ખરાબ પણ હોઇ શકે છે. આ પરિણામ જ ભાગ્ય છે. આજ નો પ્રયત્ન આવતી કાલ નું ભાગ્ય છે.
પ્રશ્ન – ૧૨ સુખ અને શાંતિ નુ રહસ્ય શું છે ?
જવાબ – સત્ય, સદાચાર, પ્રેમ અને ક્ષમા સુખ નુ કારણ છે. અસત્ય, અનાચાર, ઘૃણા અને ક્રોધ નો ત્યાગ શાંતિ નો માર્ગ છે.
પ્રશ્ર્ન – ૧૩ ચિત્ત ઉપર નિયંત્રણ કઇ રીતે સંભવ છે ?
જવાબ – ઈચ્છાઓ અને કામનાઓ ચિત્ત માં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ ઈચ્છાઓ અને કામનાઓ પર જીત એ જ ચિત્ત ઉપર વિજય છે.
પ્રશ્ન – ૧૪ સાચો પ્રેમ શુ છે ?
જવાબ – સ્વયં ને હર એક માં દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને સર્વ વ્યાપ્ત દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને હર એક માં એક સાથે દેખવું એ જ સાચો પ્રેમ છે.
પ્રશ્ન – ૧૫ તો પછી મનુષ્ય હર એક ને પ્રેમ કેમ નથી કરતો ?
જવાબ – જે સ્વયં ને હર એક માં નથી જોઈ શકતો, તે હર એક ને પ્રેમ નથી કરી શકતો.
પ્રશ્ન – ૧૬ આસક્તિ શું છે ?
જવાબ- પ્રેમ માં માંગણી, અપેક્ષા અને અધિકાર એ જ આસક્તિ છે.
પ્રશ્ન -૧૭ બુદ્ધિમાન કોણ છે?
જવાબ – જેની પાસે વિવેક છે તે બુદ્ધિમાન છે.
પ્રશ્ન -૧૮ નશો શું છે ?
જવાબ – આસક્તિ એ જ નશો છે .
પ્રશ્ન – ૧૯ ચોર કોણ છે ?
જવાબ – ઇન્દ્રિયો ના આકર્ષણ થી જે ઇન્દ્રિયો ને હરી લે છે, તે ચોર છે.
પ્રશ્ન – ૨૦ જાગતા હોવા છતાં સૂતું કોણ છે ?
જવાબ- જેને આત્મા ને નથી જાણ્યો, તે જાગતા હોવા છતાંય સૂતો છે.
પ્રશ્ન – ૨૧ ક મળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી શું છે ?
જવાબ – યૌવન, ધન અને જીવન કમળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી છે.
પ્રશ્ન – ૨૨ નર્ક શું છે?
જવાબ – ઇન્દ્રિયો માં રચ્યાપચ્યા રહેવું અને ઇન્દ્રિયો સાથે દાતત્મ્ય રાખવુ એ જ નર્ક છે.
પ્રશ્ન -૨૩, મુક્તિ શું છે?
જવાબ – અનાસક્તિ એ જ મુક્તિ છે.
પ્રશ્ન – ૨૪ દુર્ભાગ્ય નું કારણ શું છે ?
જવાબ – મદ અને અહંકાર દુર્ભાગ્ય નું કારણ છે.
પ્રશ્ન – ૨૫ સૌભાગ્ય નું કારણ શું છે ?
જવાબ – સત્સંગ અને હર એક પ્રત્યે મૈત્રી ભાવ સૌભાગ્ય નું કારણ છે.
પ્રશ્ન – ૨૬ સર્વે દુઃખો નો નાશ કોણ કરી શકે છે?
જવાબ- જે બધું છોડવા તૈયાર છે, તે સર્વે દુઃખો નો નાશ કરી શકે છે.
પ્રશ્ન – ૨૭ મૃત્યુપર્યંત યાતના કોણ આપે છે?
જવાબ – ગુપ્તરૂપે કરેલા અપરાધ મૃત્યુપર્યંત યાતના આપે છે.
પ્રશ્ન -૨૮ દિવસ રાત કયો વિચાર કરવો જોઈએ?
જવાબ- દિવસ રાત સાંસારિક સુખો ની ક્ષણભંગુરતા નો વિચાર કરવો જોઈએ.
પ્રશ્ન – ૨૯ સંસાર ને કોણ જીતી શકે છે ?
જવાબ – જેના માં સત્ય અને શ્રદ્ધા છે, તે જ સંસાર ને જીતી શકે છે.
પ્રશ્ન – ૩૦ ભય થી મુક્તિ કઈ રીતે સંભવ છે ?
જવાબ – વૈરાગ્ય થકી ભય થી મુક્તિ સંભવ છે.
પ્રશ્ન – ૩૧ મુક્ત કોણ છે ?
જવાબ – જે અજ્ઞાન થી પર છે તે મુક્ત છે.
પ્રશ્ન -૩૨ અજ્ઞાન શું છે?
જવાબ – આતમ જ્ઞાન નો અભાવ એ જ અજ્ઞાન છે.
પ્રશ્ન -૩૩ દુઃખો થી મુક્ત કોણ છે?
જવાબ – જે કદાપિ ક્રોધ નથી કરતો, તે સર્વદા દુઃખો થી મુક્ત છે.
પ્રશ્ન – ૩૪ એવું શું છે કે જે છે પણ અને નથી પણ?
જવાબ – માયા
પ્રશ્ન – ૩૫ માયા શું છે ?
જવાબ – નામ અને રૂપધારી નાશવંત જગત એ જ માયા છે.
પ્રશ્ન -૩૬ પરમ સત્ય શું છે ?
જવાબ – બ્રહ્મ એ જ પરમ સત્ય છે……

No Comments

Post A Comment